Home ગુજરાતી અદાણી ગ્રુપ અને કેળાના કારોબારને લઈને ખોટો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે

અદાણી ગ્રુપ અને કેળાના કારોબારને લઈને ખોટો ફોટો શેર કરવામાં આવી રહ્યો છે

Share
Share

સોશિયલ મીડિયા પર છાલ ઉતારેલા કેળાની એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર એવા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે કે અદાણીની કંપની માત્ર 3 કેળાને 100 રૂપિયામાં વેચી રહી છે.

આ ફોટો ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પૂર્વ ઉમેદવાર અન્નુ ખાન, ભીમ આર્મીના સભ્ય સુરજીત સિંહ આઝાદ, સપા સમર્થક રાજેશ અને અન્ય લોકોએ શેર કર્યો છે.

પોસ્ટ ડિલીટ કરેલ છે

અમારી ટીમે આ દાવાની સત્યતા જાણવા માટે તપાસ હાથ ધરી હતી. અમારી તપાસમાં, સત્ય દાવા કરતા સાવ અલગ જ બહાર આવ્યું.

ફેક્ટ ચેક

તપાસની શરૂઆતમાં અમે વાયરલ તસવીરને રિવર્સ સર્ચ કરી હતી. દરમિયાન, અમને 8 સપ્ટેમ્બર, 2018 ના રોજ વેરિફાઇડ ટ્વિટર યુઝર સ્ટેફન સિમોનોવિઝ દ્વારા ટ્વિટ કરાયેલ ફોટો મળ્યો. બે તસવીરોમાંથી પ્રથમ એ જ હતી જે હવે અલગ દાવા સાથે વાયરલ થઈ છે. તસવીરો પોસ્ટ કરતાં યૂઝરે લખ્યું, “આ તદ્દન કેળું છે! ફ્રેન્ચ સુપરમાર્કેટમાં પ્લાસ્ટિકમાં લપેટી છાલ વગરના કેળા (આજે એક મિત્ર દ્વારા મોકલવામાં આવ્યા છે).”

તેણે આગળ લખ્યું, “આ થોડા વર્ષો પહેલા પ્લાસ્ટિકમાં લપેટીને આપવામાં આવેલ વધુ છોલેલા એવોકાડોસના વિરોધ પછી થયું છે. સુપરમાર્કેટ માટે બિનજરૂરી પ્લાસ્ટિકને દૂર કરવાનો સમય આવી ગયો છે.”

અમારી તપાસને વધુ પ્રમાણિત કરવા માટે, અદાણી જૂથ કેળાના વ્યવસાય સાથે સંકળાયેલું છે કે કેમ? તે જાણવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન કેટલાક કીવર્ડ સર્ચ કરતાં અદાણી એન્ટરપ્રાઈઝની વેબસાઈટ મળી આવી હતી.

અદાણી ગ્રૂપ જે FARM-PIK બ્રાન્ડ નામ હેઠળ ભારતીય ફળોનો વેપાર કરે છે ત્યારે બ્રાન્ડેડ ફળોના સેગમેન્ટમાં તેની છાપ વિસ્તરી રહી છે. કંપની ભારતમાં વેચાણ માટે વિવિધ દેશોમાંથી સફરજન, નાશપતી, કિવી, નારંગી, દ્રાક્ષ વગેરેની પણ આયાત કરે છે.

સ્ત્રોત : અદાણી એન્ટરપ્રાઇજ

આ તમામ મુદ્દાઓના વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે જે તસવીર વાયરલ થઈ રહી છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે અદાણી જૂથ રૂ.100માં ત્રણ કેળા વેચી રહ્યું છે, તે ફ્રેન્ચ સુપરમાર્કેટની છે. આ સિવાય અદાણી જૂથ કેળાની આયાત કરીને બિઝનેસ કરતું નથી.

દાવો અદાણી જૂથ 100 રૂપિયામાં ત્રણ કેળા વેચે છે
દાવો કરનાર અન્નુ ખાન, સુરજીત સિંહ આઝાદ, રાજેશ સહિત અન્ય યુઝર્સ
તથ્ય દાવો ખોટો છે

ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.

વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.

આપનો શક્ય સહકાર અમને આપો UPI ID – vgajera@ybl

જય હિંદ.

Share
Written by
Only Fact Team -

We are a dedicated fact-checking team committed to verifying political claims, analysing viral content, and countering misinformation with evidence-based research.