Home ગુજરાતી ભાજપના પત્રમાં બુટલેગર શબ્દનો ઉલ્લેખ નથી, AAPનો દાવો ખોટો

ભાજપના પત્રમાં બુટલેગર શબ્દનો ઉલ્લેખ નથી, AAPનો દાવો ખોટો

Share
Share

9 નવેમ્બર 2022 ના રોજ, AAP પ્રચારક યુવરાજસિંહ જાડેજા દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું, જેમાં AAP પ્રચારકે દાવો કર્યો છે કે ભાજપ આગામી ચૂંટણીઓમાં બુટલેગેરોનો સહારો લેશે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી માટે ઉપયોગી મહત્વના મુદ્દાઓ પર જાહેર કરાયેલી યાદીને ટાંકીને યુવરાજ સિંહે યાદીના 13 નંબરના મુદ્દા પર પ્રકાશ પાડ્યો જેમાં લખ્યું છે કે ‘ભાજપ સમર્થકોએ બટલેગેરો (દારૂની તસ્કરો)ની યાદી તૈયાર કરવી જોઈએ અને તેમને જલ્દી મોકલવી જોઈએ.

આ દાવાને AAP યુથ વિંગ ગુજરાત ટ્વિટર હેન્ડલ સહિત ઘણા AAP સમર્થકો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.

ફેક્ટ ચેક

ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં દારૂના સેવન પર પ્રતિબંધ છે, ત્યાં બુટલેગરોની મદદથી ચૂંટણી લડવામાં આવી રહી છે, આવો દાવો શંકાસ્પદ લાગતો હતો, તેથી અમે તેની તપાસ કરી.

અમારી તપાસ દરમિયાન, અમને પત્રકાર અર્પણ કાયદાવાલા (ઝી ન્યૂઝ 24) દ્વારા શેર કરાયેલ ટ્વિટર થ્રેડ મળ્યો. અર્પણ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, બીજેપી કર્ણાવતી (અમદાવાદ)ના વડા અમિત શાહે રજૂઆત કરી છે કે દાવામાં શેર કરવામાં આવેલો પત્ર તેમનો નથી અને તેમના દ્વારા જારી કરાયેલા પત્ર સાથે છેડછાડ કરવામાં આવી છે. આ ટ્વિટર થ્રેડમાં અમિત શાહ દ્વારા મીડિયાને આપેલ અસલ પત્ર શેર કરવામાં આવ્યો છે જેમાં ક્યાંય પણ બુટલેગર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

https://twitter.com/arpan_kaydawala/status/1590232401133068290?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1590232401133068290%7Ctwgr%5Ee7983de5d6e0d32134e7ef4a2cadd26080b4c48d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fonlyfact.in%2Fno-butlegro-is-not-mentioned-in-the-list-released-by-the-bjp-on-the-issues-of-the-electoral-system%2F
સ્ત્રોત : બીજેપી કર્ણાવતી પ્રમુખ અમિત શાહ

ભાજપના કર્ણાવતી પ્રમુખ દ્વારા મીડિયાને જારી કરાયેલા પત્રમાં 13 નંબરમાં લખવામાં આવ્યું છે કે, “દરેક બેઠક પર ફોર્મ ભરવા માટે દરેક સમાજના લોકો જોડાય તેવા કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ.”

અમારી તપાસ બાદ સ્પષ્ટ થયું છે કે AAP પ્રચારક દ્વારા કરવામાં આવેલો દાવો ખોટો છે.

દાવો આગામી ચૂંટણીમાં ભાજપ બુટલેગરોનો આશરો લઈ રહી છે
દાવો કરનાર AAP પ્રચારક યુવરાજસિંહ જાડેજા અને AAP યુથ વિંગ ગુજરાત
તથ્ય દાવો તદ્દન ખોટો છે

ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.

વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.

આપનો શક્ય સહકાર અમને આપો UPI ID – vgajera@ybl

જય હિંદ.

Share