Home ગુજરાતી ના, સ્મૃતિ ઈરાનીએ જ્યારે મોંઘવારી અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારે 200 કરોડની મફત રસી પર “જ્ઞાન” નથી આપ્યું

ના, સ્મૃતિ ઈરાનીએ જ્યારે મોંઘવારી અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારે 200 કરોડની મફત રસી પર “જ્ઞાન” નથી આપ્યું

Share
Share

કોંગ્રેસ તરફી પત્રકાર રણવિજય સિંહે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો એક વીડિયો શેર કર્યો જેમાં એક મહિલા પોતાની જાતને ભાજપ કાર્યકર તરીકે ઓળખાવતી સ્મૃતિ ઈરાનીને કહેતી જોઈ શકાય છે કે તેમને ત્રણ દીકરીઓ છે અને મોંઘવારી વધી છે, જેનો અર્થ એ પણ છે કે એલપીજીના ભાવમાં વધારો થયો છે, અને તેણે ગેસ સિલિન્ડરના ઊંચા ભાવ ઘટાડવા વિનંતી કરી.

રણવિજયના ટ્વીટને ટાંકીને, કથિત ફેક્ટ ચેકર, મોહમ્મદ ઝુબૈરે લખ્યું કે આ પ્રશ્નને સંબોધિત કર્યા પછી, સ્મૃતિજીએ 200 કરોડની મફત રસીનો ઉલ્લેખ કર્યો, અને પ્રશ્ન ઉઠાવનાર મહિલાએ મોદી સરકાર ઝિંદાબાદના નારા લગાવતા માઇક પરત કરી દીધું.

ફેક્ટ ચેક

અમારા સંશોધનમાં, રિવર્સ ઇમેજ સર્ચનો ઉપયોગ કરતાં, અમને જાણવા મળ્યું કે રણવિજય દ્વારા શેર કરવામાં આવેલ વિડિયો સ્મૃતિ ઈરાનીના તાજેતરના સુરેન્દ્રનગરમાં એક રેલી કાર્યક્રમમાં આપેલા ભાષણનો છે.

આગળ, કીવર્ડનો ઉપયોગ કરીને “સુરેન્દ્રનગર, ગુજરાતમાં સ્મૃતિ ઈરાનીનું ભાષણ” સર્ચ કરતાં અમારી ટીમને ગુજરાત તક દ્વારા તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવેલી રેલી ઈવેન્ટમાંથી એક વીડિયો મળ્યો.

વીડિયોની શરૂઆતમાં, એક મહિલા જે કથિત રીતે બીજેપી કાર્યકર છે, તેણે સ્મૃતિ ઈરાની સામે મોંઘવારી અંગે પ્રશ્ન ઉઠાવ્યો અને ગેસ સિલિન્ડર માટે એલપીજીના ભાવમાં થોડી રાહત આપવા વિનંતી કરી. જવાબમાં ઈરાનીએ કહ્યું કે,“નરેન્દ્રભાઈ ને આપકે પ્રસ્તાવ સે પહેલે હી વ્યવસ્થા કરદી કી પ્રત્યેક ગેસ સિલિન્ડર કા જો ઉજ્જવલા યોજના કે અંતરગત મિલતા હૈ, પ્રત્યેક ગેસ સિલિન્ડર કે લિયે 200 રુપયે કી રિયાયત કરદી થી, સાથ હી ડિસેલ ઔર પેટ્રોલકી કિમત ઘટાને કે લિયે કિસી રાજ્ય પે ભાર ન પડે, ઇસલીયે નરેન્દ્રભાઈ ને અપની હી સરકાર કે ઉપર ભાર બઢાકર 1 લાખ કરોડ કી વ્યવસ્થા કી ઔર સરકાર દેશ ભર કી બેહનો કે લિયે યે કર ચૂકી હૈ.”

ઝુબૈરનો દાવો ખોટો છે. પ્રશ્નના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ ઉજ્જવલા યોજના પહેલ અને આ યોજનાનો લોકોને કેવી રીતે ફાયદો થયો તેનો ઉલ્લેખ કર્યો. મોહમ્મદ ઝુબૈર, જે પોતાને ફેક્ટ ચેકર કહે છે, તેણે જાણીજોઈને ખોટી માહિતી ટ્વીટ કરી છે જે લોકોને ગેરમાર્ગે દોરી શકે છે.

દાવો સ્મૃતિ ઈરાની સામે જ્યારે મોંઘવારી અંગે સવાલ ઉઠાવાયા ત્યારે 200 કરોડની મફત રસીનો તેમણે ઉલ્લેખ કર્યો
દાવો કરનાર મોહમ્મદ ઝુબૈર
તથ્ય દાવો ખોટો છે લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસથી મોહમ્મદ ઝુબૈરે દાવો કર્યો હતો.

ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.

વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.

આપનો શક્ય સહકાર અમને આપો UPI ID – vgajera@ybl

જય હિંદ.

Share
Written by
Only Fact Team -

We are a dedicated fact-checking team committed to verifying political claims, analysing viral content, and countering misinformation with evidence-based research.