ગુજરાતી

કેશવ મૌર્યનું નિવેદનઃ ‘પીએમ મોદીના રહેતા ખેડૂતોનું હિત નહીં થઈ શકે’ એડીટેડ છે

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓને એવું કહેતા સાંભળી શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રહેતા ન તો ખેડૂતોનું હિત થઈ શકે છે, ન તો દેશનું હિત થઈ શકે છે, અને ન તો દેશવાસીઓનું હિત થઈ શકે છે.

આ વીડિયોને સમાજવાદી પાર્ટીના ઉત્તર પશ્ચિમ મુંબઈના મીડિયા ઈન્ચાર્જ સલામ ઈસ્લામ ખાન, NSUI સભ્ય હેપ્પી પાલ, સપા યુવા જનસભાના જિલ્લા મહાસચિવ નિખિલ જયસ્વાલ, AAP સમર્થક પંકજ ગુપ્તા અને અન્ય વપરાશકર્તાઓ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ વિડિયો સમાજવાદી પાર્ટીના સભ્ય સલામ ઈસ્લામ ખાને પણ શેર કર્યો હતો, જેમની અગાઉની સોશિયલ મીડિયા પોસ્ટની હકીકત તપાસવામાં આવી છે અને અમારી ટીમ દ્વારા નકલી હોવાનું સાબિત થયું છે. એટલા માટે આ વખતે પણ અમે તેના દાવાને શંકાસ્પદ માનીને તેની તપાસ શરૂ કરી છે.

ફેક્ટ ચેક

વાયરલ વીડિયોમાં સંભળાયેલા કેટલાક શબ્દો જેમ કે “ખેડૂત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશવાસીઓ, કેશવ પ્રસાદ” ઇન્ટરનેટ પર સર્ચ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, અમને ફેબ્રુઆરી 2021 માં દૈનિક જાગરણ દ્વારા પ્રકાશિત એક સમાચાર લેખ મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય ફેસબુક લાઇવ આવ્યા અને કહ્યું કે કિસાન આંદોલનના નામે દેશ વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

અહીંથી વિડિયોમાંથી સંકેત લઈને, અમે કેશવ પ્રસાદના અધિકૃત ફેસબુક પેજ પર ગયા અને તેમના દ્વારા 3 ફેબ્રુઆરી 2022ના રોજ અપલોડ કરવામાં આવેલો લાઈવ વીડિયો જોયો. 23 મિનિટ 45 સેકન્ડના આ લાઈવ વીડિયોને સાંભળ્યા પછી, અમને ખબર પડી કે 1 મિનિટ 9 સેકન્ડની ટાઇમ ફ્રેમમાં , મૌર્યએ કહ્યું કે “આ દેશ જાણે છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના રહેતા ન તો ખેડૂતોનું અહિત થઈ શકે છે , ન તો દેશનું અહિત થઈ શકે છે, કે ન તો દેશવાસીઓનું અહિત થઈ શકે છે.

સ્ત્રોત : કેશવ પ્રસાદ મોર્ય ફેસબુક પેજ

વધુ તપાસ દરમિયાન ઈન્ડિયા ગ્રાઉન્ડ રિપોર્ટ નામના ન્યૂઝ પોર્ટલમાંથી એક ન્યૂઝ આર્ટિકલ મળી આવ્યો જેમાં મૌર્યના નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. લેખ અનુસાર, મૌર્યએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રહેતા ન તો ખેડૂતોનું અહિત થઈ શકે, ન તો દેશનું અહિત થઈ શકે અને ન તો દેશવાસીઓનું અહિત થઈ શકે.

સ્ત્રોત : ઈન્ડિયા ગ્રાઉંડ રિપોર્ટ પોર્ટલ

અત્રે એ નોંધનીય છે કે મૌર્ય તેમના ફેસબુક લાઈવ વિડિયોમાં ‘અહિત’ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે જ્યારે વાયરલ વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે તેમણે ‘હિત‘ શબ્દનો ઉપયોગ કર્યો છે, જે નિવેદનના અર્થને જ ઉલટાવે છે.

આ તમામ મુદ્દાઓના વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે કેશવ પ્રસાદ મૌર્યના મૂળ વીડિયો સાથે છેડછાડ કરીને તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે જેથી લોકો તેમનાથી ભ્રમિત થાય.

દાવો કેશવ મૌર્યએ કહ્યું કે પીએમ મોદીના રહેતા ન તો દેશનું હિત ક્યારેય થયું છે અને ન તો ક્યારેય ખેડૂતોનું હિત થઇ શકશે .
દાવો કરનાર સમાજવાદી પાર્ટીના ઉત્તર પશ્ચિમ મુંબઈના મીડિયા ઈન્ચાર્જ સલામ ઈસ્લામ ખાન,NSUI ના સભ્ય હેપ્પી પાલ, સપા યુવા જનસભાના જિલ્લા મહાસચિવ નિખિલ જયસ્વાલ, આપ સમર્થક પંકજ ગુપ્તા અને અન્ય વપરાશકર્તાઓ
તથ્ય દાવો તદ્દન ખોટો છે.

ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.

વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.

આપનો શક્ય સહકાર અમને આપો.

જય હિંદ.

This website uses cookies.