ગુજરાતી

ગુજરાત રેલીમાં અરવિંદ કેજરીવાલના વચન અને દાવા પાછળનું સત્ય

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે પ્રચારની દરેક વ્યૂહરચના અપનાવી રહ્યા છે. તેમના પ્રચારમાં, તેઓ ઘણા વચનો આપી રહ્યા છે અને પોતાને ગુજરાતના વિકાસ માટેની સર્વ શ્રેષ્ઠ પાર્ટી તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલે તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં એક જાહેર રેલીને સંબોધી હતી, જ્યાં મોટાભાગે આદિવાસીઓનું વર્ચસ્વ છે. જો આ વખતે તેઓ ચૂંટાઈ આવે, તો અરવિંદ કેજરીવાલે તેમની રેલીમાં મફત વીજળી અને “10 લાખ સરકારી નોકરીઓ”નું વચન આપ્યું હતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે AAP સરકારે દિલ્હીમાં “12 લાખ યુવાનોને રોજગારી” પ્રદાન કરી છે. તેમણે કહ્યું કે બિલો વધારે હોવાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે. તેમણે વીજળીના સતત પુરવઠાની બાંયધરી આપવા અને પાછલા વર્ષના બીલ માફ કરવાનું પણ વચન આપ્યું હતું.

આર્કાઇવ લિન્ક જોવા ક્લિક કરો.
આર્કાઇવ લિન્ક જોવા ક્લિક કરો.

ઘણા ટ્વિટર યુઝર્સે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓ આપવાના કેજરીવાલના વચન પર ટીકા કરવાનું શરૂ કર્યું હતું.

ફેક્ટ ચેક

અરવિંદ કેજરીવાલનું વચન કે તેઓ ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓ આપશે તે શંકાસ્પદ લાગતું હોવાથી અમે સંશોધન કર્યું.

7 સપ્ટેમ્બર, 2021ના ​​રોજના ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, રાજ્ય સરકારના કર્મચારીઓના ડીએ પ્રકાશિત કરાતા, છેલ્લા 75 વર્ષમાં ગુજરાતમાં 9.61 લાખ કર્મચારીઓને સરકારી નોકરીઓ મળી છે. 2021ના ​​ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં જણાવાયું છે કે હાલમાં 5.11 લાખ સરકારી કર્મચારીઓ છે. 2021 થી કર્મચારીઓની સંખ્યામાં વધારો થયો હોઇ શકે છે.

આર્કાઇવ લિન્ક જોવા માટે કિલક કરો.

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો છેલ્લા 75 વર્ષમાં ગુજરાતમાં 9.61 લાખ લોકોને સરકારી નોકરી મળી છે તો અરવિંદ કેજરીવાલની સરકાર આગામી પાંચ વર્ષમાં 10 લાખ લોકોને સરકારી નોકરી કેવી રીતે આપશે?

અરવિંદ કેજરીવાલની માત્ર 10 લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન આપવા બદલ નહીં, પરંતુ ગુજરાતમાં રેલી દરમિયાન દિલ્હીવાસીઓ માટે 12 લાખ રોજગારીનું સર્જન કરવાનો દાવો કરવા બદલ પણ ટીકા કરવામાં આવી હતી.

આ પહેલીવાર નથી જ્યારે અરવિંદ કેજરીવાલે દિલ્હીના યુવાનોને 12 લાખ નોકરીઓ આપવાનો આવો દાવો કર્યો હોય. મનીષ સિસોદિયાના દિલ્હી બજેટની રજૂઆતની ચર્ચા દરમિયાન તેમના ભાષણમાં, કેજરીવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાછલા પાંચ વર્ષમાં, દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં 12 લાખ રોજગારીનું સર્જન કર્યું છે.

‘ધ હિન્દુ’ સાથેના ઇન્ટરવ્યૂ દરમિયાન પણ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે તેમની સરકારે તેના ‘રોજગાર બજાર પોર્ટલ’ દ્વારા દિલ્હીના લોકોને ખાનગી ક્ષેત્રમાં 10 લાખ નોકરીઓ પ્રદાન કરી છે.

અરવિંદ કેજરીવાલ દ્વારા બહુવિધ પ્રસંગોએ કરેલા દાવાની સત્યતા ચકાસવા માટે, અમારી ઓન્લી ફેક્ટ ટીમે વિવિધ અહેવાલો અને સત્તાવાર દસ્તાવેજો તપાસ્યા. અમારા સંશોધન દરમિયાન, અમે RTI અરજીની એક નકલ શોધી કાઢી છે જેમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 7 વર્ષોમાં દિલ્હી સરકારે માત્ર 3246 નોકરીઓ પ્રદાન કરી છે.

અમારા સંશોધનમાં હર્ષ દિનેશ કુમાર શાહ દ્વારા 4 એપ્રિલ, 2022ના રોજ દાખલ કરવામાં આવેલી આરટીઆઈની બીજી નકલ મળી આવી હતી. આરટીઆઈના જવાબ અનુસાર, દિલ્હી સરકારે 2015 થી 2022 વચ્ચે 3686 નોકરીઓનું સર્જન કર્યું હતું. આરટીઆઈના ખુલાસા પછી પણ, અરવિંદ કેજરીવાલે સતત બડાઈ કરી છે અને લોકોને 12 લાખ નોકરીઓ આપી હોવાનું જૂઠ ફેલાવ્યું છે.

ઘણા ટ્વિટર યુઝર્સે જનતાને છેતરવા બદલ અરવિંદ કેજરીવાલની ટીકા કરી હતી. ટ્વિટર યુઝર સુજીત હિન્દુસ્તાનીએ 28 એપ્રિલ, 2022ના રોજ કરેલી RTI ની નકલ શેર કરી હતી. કેજરીવાલે તેમના 2015ના ચૂંટણી પ્રચારમાં, પાંચ વર્ષના સમયગાળામાં 8 લાખ નોકરીઓનું સર્જન કરવાનું વચન આપ્યું હતું. જો કે, આરટીઆઈ વિનંતીના જવાબમાં દિલ્હીના સેવા વિભાગ તરફથી મળેલા પત્ર મુજબ માત્ર 267 ઉમેદવારોને નોકરી મળી છે.

અમે AAP સરકારના નિવેદન પર પણ ધ્યાન આપ્યું કે ‘તેમના રોજગાર બજાર પોર્ટલ દ્વારા તેઓએ દિલ્હીના રહેવાસીઓને 10 લાખ નોકરીઓ પ્રદાન કરી છે.’ પરંતુ ધ હિન્દુ દ્વારા પ્રાપ્ત સત્તાવાર આંકડા મુજબ, રોજગાર પોર્ટલ દ્વારા માત્ર 12,588 ઉમેદવારોને જ નોકરી મળી છે.

આર્કાઇવ લિન્ક જોવા માટે ક્લિક કરો

અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે AAP સરકારની બડાઈ કે તેમણે 12 લાખ અને 10 લાખ નોકરીઓ ઊભી કરી છે તે ખોટી અને ભ્રમિત કરનારી છે. અનેક રેલીઓમાં અને તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. AAP દિલ્હીમાં 12 લાખ નોકરીઓ પેદા કરવા વિશે ખોટું બોલી રહી છે.

દાવો 1. આમ આદમી પાર્ટી ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓ આપસે.
2. આમ આદમી પાર્ટીની સરકારે દિલ્લીમાં 12 લાખ નોકરીઓ પ્રદાન કરી છે.
દાવો કરનાર અરવિંદ કેજરીવાલ અને તેમના કાર્યકર્તાઓ
તથ્ય અરવિંદ કેજરીવાલ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ દાવાઓ તદન ખોટા છે. આરટીઆઇ અંતર્ગત મળેલ માહિતી મુજબ દિલ્લીમાં માત્ર 3686 નોકરી આપવામાં આવી છે જ્યારે તેમના રોજગાર બજાર પોર્ટલ પરથી પણ માત્ર 12588 ઉમેદવારોને જ નોકરી મળી છે. તેમણે કરેલ વાયદાઓના આંકડા અને આ આંકડાઓમાં કોઈ સંગતિ જોવા મળતી નથી.

વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.

આપનો શક્ય સહકાર અમને આપો.

જય હિંદ.

This website uses cookies.